આપણા ભારત દેશમાં એવા ઘણા મંદિર આવેલા છે, જે પોતાના ચમત્કાર માટે જાણીતા છે. આ મંદિરોના રહસ્યો જાણે સામે આવે છે ત્યારે લોકો ચોંકી જાય છે અને વિશ્વાસ કરી શકતા નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ,
જેના વિશે જાણીને તમે પણ કંપી શકો છો. હકીકતમાં અમે જે મંદિર વિશે વાત કરી રહ્યા છીએ એ મંદિરમાં રાત પછી રોકાવું યોગ્ય માનવામાં આવતું નથી. કારણ કે અહીં જે પણ વ્યક્તિ રાતે રોકાય છે તે પથ્થર બની જાય છે.
તમને જણાવી દઇએ કે આ મંદિર રાજસ્થાન માં આવેલ છે. જેને કિરાડુ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની સમગ્ર રચના દક્ષિણ ભારતીય શૈલીથી કરવામાં આવી છે. આ મંદિરમાં એવા સ્થાપત્ય કલા નો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેના વિશે જાણીને કોઈપણ વ્યક્તિ વિચારમાં પડી શકે છે. આ મંદિરનો દેખાવ એકદમ સુંદર છે.
આ જગ્યા પર પાંચ મંદિરની રચના થઈ હોવાનું કહેવાય છે, જેમાં બે મંદિરો સારી સ્થિતિમાં છે જ્યારે બાકીના મંદિરનો ઝરઝડિત થઈ ગયા છે. જોકે આ મંદિરોની રચના કોણે કરી અને શા માટે કરી તેના વિશે કોઈ માહિતી પ્રાપ્ત નથી પંરતુ સ્થાનિક લોકોની માન્યતા અનુસાર ગુર્જારા-પ્રતિહાર રાજવંશ, સંગમ વંશ તથા સાઉથના ગુપ્ત રાજવંશ વખતે આ મંદિર બનાવવામાં આવી શક્યા હોય છે.
એક પ્રવર્તતી માન્યતા અનુસાર એક સમયે સાધુ અને તેમના શિષ્યો આ મંદિરની મુલાકાત માટે આવ્યા હતા. તે સમયે સાધુ શિષ્યોને ત્યાં આરામ કરવાનું કહીને પરિભ્રમણ નીકળે છે પણ અચાનક એક શિષ્ય ની તબિયત ખરાબ થઈ જાય છે,
જેના પછી બાકી રહેલા શિષ્યો દોડીને ગામ લોકોને મદદ માટે કહે છે પણ ગામનો કોઈપણ વ્યક્તિ તેમની મદદ કરતો નથી. જેના પછી જ્યારે સાધુ પરત આવે છે ત્યારે તેમને આ બધી જ ઘટનાની ખબર પડે છે અને તેઓ ગુસ્સે થઈ જાય છે અને શ્રાપ આપે છે કે જે વ્યક્તિ રાત પછી આ મંદિરની મુલાકાત લેશે તે પથ્થર બનીને અહી જ રહી જશે.
એક એવી માન્યતા પણ ફેલાઈ રહી છે કે આ દરમિયાન એક સ્ત્રીએ શિષ્યની મદદ કરી હતી અને સાધુએ તેને રાત પહેલા ગામ છોડી દેવાની અને પાછળ ફરીને જોવાની ના પાડી હતી પણ મહિલા આ વાતને માનતી નથી અને પાછળ ફરીને જુવે છે અને તે ત્યાં જ પથ્થર બની જાય છે. આ સાથે તમને કહી દઈએ કે આ મંદિરમાં કોઈપણ દેવી દેવતાની મૂર્તિ પણ નથી.
ભક્તોને શુભકામનાઓ આપનાર માતા શારદાનું આ મંદિર વિંધ્યાચલ પર્વતની ટોચ પર આવેલું છે. સ્થાનિક દંતકથાઓ અનુસાર, આ મંદિરના નિર્માણથી આજ સુધી, આલ્હા માતાની પૂજા કરનાર પ્રથમ વ્યક્તિ છે. એવું કહેવાય છે કે જ્યારે સવારે માતાના મંદિરના દરવાજા ખોલવામાં આવે છે ત્યારે ત્યાં માતાના ચરણોમાં પાણીની સાથે એક ફૂલ જોવા મળે છે.
જો કે, આજ સુધી કોઈ આલ્હાને જોઈ શક્યું નથી. મંદિર વિંધ્યાચલ પર્વતની ટોચ પર હોવાથી પંડિતો પણ રાત્રે ત્યાં રોકાતા નથી. આ સિવાય જ્યારે પણ કોઈએ ત્યાં રાત રોકાઈને આલ્હાને જોવાની કોશિશ કરી તો તેનું મોત થઈ ગયું. આ જ કારણ છે કે મંદિર પરિસરમાં કોઈ રાત આરામ કરતું નથી.
પૂજારીનું કહેવું છે કે મંદિર ખોલવાનો સમય સવારના ચાર વાગ્યાનો છે. ત્યારે જ મંદિરમાં પ્રવેશ થાય છે. તે કહે છે કે ઘણીવાર મંદિરનો નજારો જોઈને એવું લાગે છે કે દરવાજા ખુલતા પહેલા જ કોઈ ત્યાંથી નીકળી ગયું છે. કાનપુરથી લગભગ 50 કિમીના અંતરે આવેલું આ એક ગુપ્ત મંદિર છે.
એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ અમાવાસ્યાની રાત્રે થયું હતું. તેને ભૂત મંદિર પણ કહેવામાં આવે છે કારણ કે આ મંદિરની અંદર કોઈ ભગવાનની મૂર્તિ નથી. કહેવાય છે કે પહેલા આ મંદિરમાં મૂર્તિઓ હતી અને વિધિ પ્રમાણે તેમની પૂજા પણ થતી હતી. પરંતુ મુઘલોના શાસન દરમિયાન અહીં સ્થાપિત અષ્ટધાતુની મૂર્તિઓ ચોરાઈ ગઈ હતી.
Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..
ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.