ઝાડ-છોડનું જીવનમાં ખુબ જ મહત્વ છે. સીધા શબ્દોમાં કહેવામાં આવે તો તેનાથી જ જીવન છે. આ સિવાય ઝાડ પર આવનારા સ્વાદિષ્ટ ફળથી આપણને ઘણા પોષક તત્વો પ્રાપ્ત થાય છે પરંતુ શું તમે જાણો છો કે એક એવું વૃક્ષ પણ છે,
જે એટલું ઝેરીલું છે કે તેને દુનિયાનું સૌથી ઝેરીલું વૃક્ષ કહેવામાં આવે છે. આ વૃક્ષનું નામ છે મૈશીનીલ. આ વૃક્ષ ફ્લોરિડા અને કેરેબિયન સાગર બીચ તટ પર મળી આવે છે. આ વૃક્ષ વિશે કહેવામાં આવે છે કે તે એટલું ઝેરીલું હોય છે કે જો કોઈ વ્યક્તિ તેના સંપર્કમાં આવી જાય છે તો તેના શરીર પર ફોડલા પડી જાય છે.
આ વૃક્ષનો દરેક ભાગ ઝેરીલો છે પરંતુ તેના ફળ સૌથી વધારે ઝેરીલા માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ ફળનો એક ટુકડો પણ ખાઈ લે છે તો તેનું મૃત્યુ થઈ શકે છે. જોકે વૈજ્ઞાનિક આ ફળને ચાખીને જોઈ ચુક્યા છે. આ ફળ નાના સફરજનનાં આકારનાં હોય છે. ક્રિસ્ટોફર કોલંબસે મૈશીનીલનાં ફળને મૃત્યુનું નાનુ સફરજનનું નામ આપ્યું છે.
આ વૃક્ષ વિશે કહેવામાં આવે છે કે તે એટલું ઝેરીલું છે કે જો કોઈ વ્યક્તિની આંખોમાં પહોંચી જાય તો તે આંધળો થઈ શકે છે. જ્યારે અચાનક વરસાદ આવી જાય તો આપણે કોઈપણ વૃક્ષ નીચે ઉભા રહી જઈએ છીએ પરંતુ મૈશીનીલ ઝાડ નીચે ઊભા રહેવાથી પણ મનુષ્યને નુકસાન પહોંચી શકે છે.
આ કારણે લોકોને આ વૃક્ષનાં સંપર્કમાં આવવાથી રોકવા અને તેના ફળોને ખાવાથી રોકવા માટે વૃક્ષની આસપાસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, જેમાં વૃક્ષ ઝેરીલું હોવાની અને તેનાથી દુર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
નિકોલા એચ સ્ટ્રિકલેન્ડ નામનાં એક વૈજ્ઞાનિક અનુસાર એકવાર તે અને તેમનાં અમુક મિત્રો ટોબૈગોનાં કેરેબિયન આઇલેન્ડનાં બીચ પર હતાં. ત્યાં તેમણે આ ફળને ખાઈ લીધું હતું. તેનો સ્વાદ ખુબ જ કડવો હતો.
તેઓ જણાવે છે કે આ વૃક્ષનાં ફળ ખાવાનાં થોડા સમય બાદ જ તેમને બળતરા થવા લાગી હતી અને શરીરમાં સોજા ચડી ગયા હતાં. જો કે તરત જ સારવાર મળી જવાથી તેમની તબિયત સારી થઈ ગઈ હતી.
મૈશીનીલનાં વૃક્ષની ઊંચાઈ લગભગ ૫૦ ફુટ સુધી હોય છે. તેના પાન ચમકદાર અને આકારમાં અંડાકાર હોય છે. આમ તો આ આખા વૃક્ષને ઝેરીલું માનવામાં આવે છે પરંતુ તેમનાં ફળ સૌથી વધારે ઝેરીલા હોય છે. જો કે તે ઝેરીલું ભલે હોય પરંતુ સ્થાનિય પારિતંત્ર આ વૃક્ષની મુખ્ય ભુમિકા છે.
આ વૃક્ષ કેરેબિયાઈ સાગરનાં તટ પર મળી આવે છે અને માટીના ધોવાણ રોકવામાં સહાયક હોય છે. કેરેબિયાઈ કાર્પેન્ટર આ વૃક્ષનાં લાકડાનો ઉપયોગ ફર્નિચર બનાવવા માટે પણ કરવા લાગ્યા છે પરંતુ તેને કાપતા સમયે ખુબ જ સાવધાની રાખવામાં આવે છે અને ફર્નિચર બનતા પહેલાં તેના લાકડાને લાંબા સમય સુધી તડકામાં સુકવવામાં આવે છે, જેથી તેની અંદરનો ઝેરીલો રસ સમાપ્ત થઈ જાય.
જો કે તે ઝેરી હોઈ શકે છે, પરંતુ સ્થાનિક ઇકોસિસ્ટમમાં આ વૃક્ષની મહત્વની ભૂમિકા છે. આ વૃક્ષ કેરેબિયન સમુદ્રના કિનારે જોવા મળે છે અને જમીનના ધોવાણને રોકવામાં મદદરૂપ છે. આ સિવાય કેરેબિયન સુથારો સેંકડો વર્ષોથી ફર્નિચર બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે.
સુથારો આ વૃક્ષને ખૂબ સારી રીતે કાપે છે. કાપ્યા પછી, તેના ઝેરી રસને દૂર કરવા માટે ઝાડના લાકડાને લાંબા સમય સુધી તડકામાં સૂકવવામાં આવે છે. જેથી કરીને કોઈપણ જોખમ વિના ફર્નિચર બનાવી શકાય.
Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..
ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.