એક એવું ગામ જ્યાં 18 વર્ષથી  થયો નથી કોઈ બાળકનો જન્મ.. જ્યાં જુઓ ત્યાં છે ઢીંગલા- ઢીંગલી.. જાણો કારણ…

એક એવું ગામ જ્યાં 18 વર્ષથી થયો નથી કોઈ બાળકનો જન્મ.. જ્યાં જુઓ ત્યાં છે ઢીંગલા- ઢીંગલી.. જાણો કારણ…

જાપાનમાં(Japan) એક જગ્યા એવી છે જ્યાં તમને માણસો ઓછા અને ઢીંગલા ઢીંગલી(Dolls) વધુ જોવા મળે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. આ ગામ હવે દોલ્સ વિલેજ તરીકે પણ ઓળખાય છે. જાપાનના ટોકુશિમા( રાજ્યમાં શિકોકુ ટાપુમાં નાગોરો નામની આ જગ્યા છે.

Advertisement

એક મહિલા જ્યારે ગામમાં પાછી ફરી ત્યારે એકલતાથી ખુબ પરેશાન થઈ હતી. અયાનો ત્સુકિમી નામની આ મહિલા જ્યારે ગામમાં પાછી આવી તો ત્યાં વસ્તી ખુબ ઓછી જોવા મળી. જે વસ્તી હતી તેમાં પણ મોટાભાગના વૃદ્ધ છે. અહીં માંડ ૩૦ લોકો રહે છે.

Advertisement

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ગામમાં છેલ્લા ૧૮ વર્ષથી કોઈ બાળકનો જન્મ થયો નથી. એટલે કે બાળકોનું તો નામોનિશાન નથી. મહિલાએ પછી તો આ એકલતા દૂર કરવા માટે ઢીંગલા ઢીંગલીઓનો સહારો લેવા માંડ્યો.

Advertisement

Advertisement

ગામમાં ઓછી વસ્તીના કારણ કે જે ભેંકાર વાતાવરણ હતું તેમાં તેણે ઢીંગલીઓનો ઉમેરો કરીને ગામનું વાતાવરણ સજીવ કરવાનો પ્રયાસ કરવા માંડ્યો. અયાનોએ અત્યાર સુધીમાં પોતાના હાથે ૩૫૦ જેટલી ઢીંગલીઓ બનાવી છે. તે ઢીંગલા ઢીંગલી બનાવવામાં કુશળ છે.

Advertisement

હવે એવું થઈ ગયું છે કે તેણે જે રીતે ગામમાં ઠેક ઠેકાણે માણસોની જગ્યાએ ઢીંગલીઓ ગોઠવી દીધી છે તેનાથી ગામ એકદમ જીવંત થઈ ગયું છે અને પર્યટનનું સ્થળ પણ બની ગયું છે. લોકો હોશે હોશે આ ગામને જાેવા માટે આવે છે.

Advertisement

Advertisement

પહેલા આ ગામ ખુબ ડરામણા ગામ તરીકે ઓળખાતું હતું અને લોકો પગ મૂકતા ડરતા હતાં પરંતુ હવે આ ઢીંગલા ઢીંગલીઓના કારણે ગામ ખુબ પ્રખ્યાત થઈ ગયું છે. અહીં તમને એકદમ જીવંત દેખાતા ઢીંગલા ઢીંગલી જોવા મળશે. જેમ કે જાણે બસ સ્ટોપ પર કોઈ પરિવાર રાહ જાેતો હોય.

Advertisement

બાગમાં માળીકામ કરતા હોય, શાળામાં શિક્ષકો બાળકોને ભણાવતા હોય… અયાનોએ કહ્યું કે આ યોજના તેણે તેના પિતાની યાદમાં તૈયાર કરી હતી. જેના કારણે હવે તે ડરામણા સ્થળની જગ્યાએ પર્યટન આકર્ષણનું કેન્દ્રબની ગઈ.

Advertisement

Advertisement

એક સમયે ગામમાં ૩૦૦થી વધુ લોકો રહેતા હતા. પરંતુ સમયાંતરે વસ્તી ઘટવા લાગી. અયાનો આ જ ગામમાં મોટી થઈ છે. તેની ઉપર ૨૦૧૪માં જર્મન ફિલ્મ નિર્માતાફ્રિટ્‌ઝ શુમાનેફિલ્મ પણ બનાવી છે. 

Advertisement

ગામમાં દર વર્ષે ઓક્ટોબર મહિનાના પહેલા રવિવારે બિઝૂકામહોત્સવ યોજાય છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. અયાનો ઢીંગલી બનાવવા માટે કપાસ, પેપર, બટન, તાર વગેરે સામગ્રીનો ઉપયોગ કરીને ૩ દિવસમાં ઢીંગલી તૈયાર કરે છે.

12 વર્ષની ઉંમરે પિતા બહેનની નોકરી માટે ઓસાકા ગયા હતા. અયનો એ ગામના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને તેના બે બાળકો છે. બહાર 16 વર્ષ પહેલા થોડા વર્ષોલેકર નોકરી માટે ઓસાકા ગયો. અયનો એ ગામના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને તેના બે બાળકો છે. બહાર 16 વર્ષ પહેલા થોડા વર્ષો ગાળ્યા બાદ, તે 90 વર્ષના સસરાની સંભાળ માટે ગામ પરત ફરી.

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!