દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશની નોટ ઉપર છે ગણપતિ બાપાની તસવીર.. તેની પાછળ છે ગજબનું કારણ..

દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશની નોટ ઉપર છે ગણપતિ બાપાની તસવીર.. તેની પાછળ છે ગજબનું કારણ..

આજે આપણે એવા દેશ વિશે જવાના છીએ જે વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ કહેવાય છે. પરંતુ ત્યાં નોટ પર ગણેશજીની તસવીર છપાયેલી છે. તો ચાલો જાણીએ તેનું સંપૂર્ણ રહસ્ય.ઈન્ડોનેશિયાના ચલણને રુપિયા કહેવામાં આવે છે.

Advertisement

અહીંયા 20 હજારની નોટ પર ભગવાન ગણેશની તસવીર છપાયેલી છે. આ એટલા માટે છે કારણ કે ભગવાન ગણેશને આ મુસ્લિમ દેશમાં શિક્ષણ, વિજ્ઞાન અને કળાના દેવતા કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે ઈન્ડોનેશિયામાં 87.5 ટકા સુધીની વસ્તી ઈસ્લામને માનનાર છે, પરંતુ ત્યાં માત્ર 3 ટકા હિંદુ લોકો છે.

Advertisement

ગણપતિનું ચિત્ર શા માટે લગાવવામાં આવે છે?ઈન્ડોનેશિયાની આ 20 હજારની નોટની આગળની બાજુ ભગવાન શ્રી ગણેશજીની તસવીર છે. પરંતુ પાછળની બાજુએ વર્ગખંડના ચિત્રો છપાયેલા છે. જેમાં વિદ્યાર્થી અને શિક્ષકની તસવીરો બતાવવામાં આવી છે.

Advertisement

Advertisement

નોટ પર ગણેશજીની તસવીર છાપવાનું કારણ શું છે?..આવું એટલા માટે થાય છે કારણ કે થોડા વર્ષો પહેલા ઈન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી. જે બાદ ત્યાં 20 હજારની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. જેના પર ભગવાન શ્રી ગણેશજીનું ચિત્ર છપાયેલું હતું.

Advertisement

તેને છાપવા પાછળના આર્થિક ચિંતકોનું માનવું હતું કે આનાથી અર્થતંત્ર ફરી મજબૂત બનશે. પરંતુ ટૂંક સમયમાં ઇન્ડોનેશિયાની કિસ્મત બદલાઈ જાય છે અને તરત જ તેમની અર્થવ્યવસ્થા પાટા પર આવી જાય છે. જે બાદ ઈન્ડોનેશિયામાં 20 હજારની નોટ પર ગણપતિજીની તસવીર છપાઈ છે.

Advertisement

Advertisement

ઈન્ડોનેશિયાની સરકાર સત્તાવાર રીતે છ ધર્મોને માન્યતા આપે છે: ઈસ્લામ, પ્રોટેસ્ટંટવાદ, રોમન કેથોલિક, હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને કન્ફ્યુશિયનિઝમ. તેની 87 ટકાથી વધુ વસ્તી ઇસ્લામને અનુસરે છે, જે તેને સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતું રાષ્ટ્ર બનાવે છે.

Advertisement

અહીં માત્ર 1.7 ટકા વસ્તી હિન્દુ છે. તેમ છતાં, આ દેશમાં હિન્દુ ધર્મનો સુંદર ઇતિહાસ છે. આ હિંદુ ધર્મ સાથે ઇન્ડોનેશિયનોના લાંબા જોડાણને પ્રતિબિંબિત કરે છે. ઇન્ડોનેશિયાના ભાગો એક સમયે ચોલ વંશના શાસન હેઠળ હતા,

Advertisement

Advertisement

જ્યારે કેટલાક મંદિરો બાંધવામાં આવ્યા હતા. ભગવાન ગણેશને જ્ઞાન, કળા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. ચલણી નોટ પર તેની તસવીર છપાવવાનું આ એક કારણ હોઈ શકે છે.ઈન્ડોનેશિયાના લોકો મહાભારત અને રામાયણથી પરિચિત છે.

Advertisement

દેશમાં હિંદુ સંસ્કૃતિ સાથે જોડાયેલી મૂર્તિઓ પણ છે. ઈન્ડોનેશિયાના જકાર્તા સ્ક્વેર પર રથ પર સવાર અર્જુન અને કૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ દેશમાં બીજી ઘણી સમાન મૂર્તિઓ છે. યોગાનુયોગ, ઈન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્નોનું નામ મહાભારતના પાત્ર કર્ણના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

તેમની પુત્રી મેઘાવતી સુકર્ણોપુત્રી, જે પાછળથી તેમની ઉત્તરાધિકારી બની. તેમનું નામ ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીજુ પટનાયકે આપ્યું હતું. મેઘાવતી એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે ‘વાદળોની દેવી’.ભારતીયોના મનપસંદ પ્રવાસન સ્થળોમાંનું એક બાલી આઇલેન્ડ છે, જે હિંદુ બહુમતી વિસ્તાર છે.

રસપ્રદ વાત એ છે કે 50,000 રૂપિયાની નોટ 2011માં બહાર પાડવામાં આવી હતી. આ નોટ પર બાલીના પ્રસિદ્ધ મંદિર પુરા ઉલુન દાનુ બ્રાટનનું ચિત્ર હતું. ઈન્ડોનેશિયાની શૈક્ષણિક સંસ્થા બાંડુંગ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના લોગોમાં પણ ભગવાન ગણેશની તસવીર છે. તે જ સમયે, હનુમાનજી ઇન્ડોનેશિયાની મિલિટરી ઇન્ટેલિજન્સનો સત્તાવાર માસ્કોટ છે.

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!