એવું કહેવાય છે કે મૃત્યુને કોઈ રોકી શકતું નથી. જ્યારે થવાનું હોય ત્યારે થાય. પછી ભલે વ્યક્તિ ગમે તેટલો પ્રયત્ન કરે. પરંતુ યમરાજને દુનિયાના આ અનોખા દેશમાં આવવાની મનાઈ છે, કારણ કે આ દેશમાં મૃત્યુ પર પ્રતિબંધ છે. અહીં કોઈ વ્યક્તિ મરી શકે નહીં,
કારણ કે અહીંના વહીવટીતંત્રે અહીંના લોકોના મૃત્યુ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પૃથ્વીના નકશા પર એક દેશ છે નોર્વે. આ દેશમાં એક નાનકડું શહેર ‘લોન્ગઈયરબેન’ છે. અહિં એવો કાયદો છે કે કોઈ મરી ન શકે. અહીંના વહીવટીતંત્રે માનવીઓના મૃત્યુ પર કડક પ્રતિબંધ મુક્યો છે.
એટલું જ નહીં, અહીં કોઈનું મૃત્યુ થવાનું હોય તો વહીવટીતંત્ર તેને હેલિકોપ્ટરની મદદથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે તે વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેના અંતિમ સંસ્કાર ત્યાં જ કરવામાં આવે છે. વહીવટીતંત્રના આ વિચિત્ર નિર્ણયનું મુખ્ય કારણ એ છે કે અહીં ઘણો બરફ છે.
શિયાળાની ઋતુમાં અહીં ખૂબ ઠંડી પડે છે. આવી સ્થિતિમાં, જો કોઈ અહીં મૃત્યુ પામે છે, તો પછી તેનુ મૃત શરીર ઓગળતુ નથી. અને જો કોઈ વ્યક્તિને કોઈ રોગ હોય, તો તેની અંદર રહેલા જંતુઓ પણ જીવિત રહે છે. જેની હવામાન પર ખરાબ અસર પડે છે.
શહેરને રોગચાળાથી બચાવવા માટે, અહીં મરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ શહેરની વસ્તી માત્ર 2000 લોકોની છે અને છેલ્લા 70 વર્ષથી અહીં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. થોડા વર્ષો પહેલા, જ્યારે વૈજ્ઞાનિકોએ એક શરીર પર સંશોધન કર્યું,
જાણવા મળ્યું કે વર્ષ 1917 માં, જે વ્યક્તિનું ઈન્ફલ્યુએન્ઝાના કારણે મૃત્યુ થયું હતું, તેના શરીરમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ હતો. તેનાથી આ વિસ્તારમાં રોગચાળો ફેલાઈ શકે છે. આ તપાસ બાદ પ્રશાસને આ વિસ્તારમાં લોકોના મોત પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પછી લોકોમાં ભય ફેલાયો હતો. ઈન્ફલ્યુએન્ઝા વાઈરસ જેમના તેમ પડેલા હોવાથી લોકોને રોગચાળાનું જોખમ હતું. આ પછી પ્રશાસને શહેરમાં મૃત્યુ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
હવે જો કોઈ વ્યક્તિનું અહીં મૃત્યુ થવાનું હોય અથવા તેને ઈમરજન્સી હોય તો તે વ્યક્તિને હેલિકોપ્ટરની મદદથી દેશના અન્ય વિસ્તારમાં લઈ જવામાં આવે છે અને તેના મૃત્યુ બાદ ત્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
આ શહેરમાં વર્ષમાં સંશોધન કરતા વૈજ્ઞાનિકો અને સાહસિક પ્રવાસીઓનો મેળાવડો રહે છે. સામાન્ય લોકો આ જગ્યાએ જવાનું પસંદ કરતા નથી. 2000 હજારની વસ્તીવાળા આ શહેરમાં જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને પ્લેન કે હેલિકોપ્ટર દ્વારા બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે અને મૃત્યુ બાદ ત્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
લાશ આ રીતે વર્ષો સુધી પડી રહે તો કોઇ બીમારી ફેલાવાનો ડર રહે છે. માટે જો કોઇ વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડે છે તો તેણે બીજા શહેરમાં શિફ્ટ થઇ જવું પડે છે. મોત થાય તો તે સ્થાન પર જ તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે.
વર્ષ 1917માં અહીં એક શખ્સની મોત થઇ હતી જે ઇન્ફ્લુએન્ઝાથી પીડિત હતો. તે ગામના લોકોએ તેને દફનાવ્યો હતો પરંતુ તેના શરીરમાં હજુ પણ તે વાયરલ છે. જેના કારણે પ્રશાસને મરવા પર જ બેન લગાવી દીધો હતો. આ શહેરમાં 2000 લોકોની વસ્તી છે અને ઇસાઇ ધર્મના લોકો વધારે છે.
Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..
ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.