પ્રકૃતિ રચિત આ દુનિયામાં ઘણા ચમત્કાર જોવા મળે છે. પ્રકૃતિ ચમત્કાર અને રહસ્યોથી ભરેલી છે. વિજ્ઞાન પણ આજ સુધી પ્રકૃતિનાં ઘણા ચમત્કારો અને રહસ્ય વિશે ખુલાસો કરી શક્યું નથી. આ પૃથ્વી પર જો જીવન સંભવ થયું છે તો તે બીજા કંઈથી નહીં પરંતુ પ્રકૃતિનાં કારણે જ સંભવ થયું છે.
પ્રકૃતિએ આ પૃથ્વી પર જીવન જરૂરિયાતની તમામ ચીજ બનાવી છે. નદી, જંગલ, પહાડ, દરિયો બધું જ પ્રકૃતિની દેન છે. આ તમામ ચીજો વગર મનુષ્યનું જીવન સંભવ જ નથી.પ્રકૃતિએ જ આ પૃથ્વી પર મનુષ્યની રચના કરી છે. જે લોકો પ્રકૃતિવાદી છે. તેમનું એવું માનવાનું છે કે આ ધરતીને પ્રકૃતિએ બનાવી છે.
જોકે અમુક લોકો અનુસાર તેની રચના કોઈક બીજા કારણે થઈ છે. જોકે હકીકત શું છે, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પ્રકૃતિએ પૃથ્વી અને જળનું સંતુલન બનાવવા માટે જાતજાતનાં ઝાડ-છોડ, જીવ-જંતુઓનું નિર્માણ કર્યું છે. આ પૃથ્વી પર હજુ પણ ઘણા એવા જીવ છે, જેના વિશે કોઈ કંઈ જાણતું નથી. વૈજ્ઞાનિકો આજે પણ આ ચીજો વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે.
જો વાત જમીનની કરવામાં આવે તો જમીન પર પણ ઘણા પ્રકારનાં જીવ-જંતુ રહેલાં છે. તેમાંથી અમુક ખુબ જ સુંદર છે તો અમુક ખુબ જ ખુંખાર છે તો અમુક જાનવરોને જોઇને એવું લાગે છે કે તેનો સપનામાં પણ સામનો ના થાય તો સારું રહેશે.
જમીન પર રહેવાવાળા જાનવરો માંથી સૌથી ખતરનાક જાનવર સિંહને માનવામાં આવે છે. સિંહને જંગલનો રાજા પણ કહેવામાં આવે છે. તેની સાથે જ પાણીની અંદર પણ ઘણા પ્રકારનાં જીવજંતુ રહે છે. જમીનની અપેક્ષાએ દરિયાઈ જીવો વિશે ખુબ જ ઓછી જાણકારી પ્રાપ્ત થઇ શકી છે.
આજે પણ પાણીની અંદર ઘણા એવા જીવો રહેલાં છે, જેના વિશે કોઈ કંઈ જાણતું નથી. પાણી માં રહેતા સૌથી ખુંખાર જીવોની વાત કરીએ તો હજુ સુધી શાર્ક વિશે જાણી શકાયું નથી પરંતુ એક બીજું દરિયાઈ જીવ છે, જે પોતાનાં શિકાર કરવાની રીત માટે જાણીતું છે.
અમે વાત કરી રહ્યા છીએ મગરની, જે જળ અને જમીન બંને જગ્યા પર સરળતાથી રહી શકે છે. તે શિકાર કરવામાં એટલું માહીર હોય છે કે તેનાં મોં માં એકવાર ફસાયા બાદ બહાર નીકળવું મુશ્કેલ હોય છે. મગર પ્રાકૃતિક રૂપમાં માંસાહારી જીવ છે.
પરંતુ શું તમે ક્યારેય એવું પણ વિચાર્યું છે કે મગર પણ શાકાહારી હોય શકે છે. આ સાંભળીને તમને પણ હસવું આવી રહ્યું હશે પરંતુ તમને જણાવી દઈએ કે આ દુનિયામાં કંઈપણ શક્ય છે. આજે અમે તમને દુનિયાનાં એકમાત્ર શાકાહારી મગર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
હકિકતમાં અમે જે શાકાહારી મગરની વાત કરી રહ્યા છીએ તે ક્યાંય બીજે નહીં પરંતુ ભારતનાં કેરળ રાજ્યમાં જ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ મગરનું નામ “બાબિયા” છે. આ મગર કેરળનાં જાણીતા અનંતપુરા લેકની રક્ષા કરે છે. તે મંદિરનાં ગાર્જિયનની જેમ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપુર્ણ રીતે શાકાહારી છે અને તે માત્ર મંદિરમાં ચડાવવામાં આવતો પ્રસાદ ગોળ-ભાત જ ખાય છે.
આ મગર કોઈપણ વ્યક્તિને નુકશાન પણ પહોંચાડતી નથી. આ મગર ૬૦ વર્ષથી મંદિરની રક્ષા કરે છે. ખાસ વાત તો એ છે કે આ મગર તળાવમાં રહેવા છતાં પણ માછલીઓને પણ નુકશાન પહોંચાડતી નથી. આ મંદિરનાં પુજારી પોતાનાં હાથથી તેમને પ્રસાદ ખવડાવે છે પરંતુ તેમણે હજુ સુધી કોઈને નુકશાન પહોંચાડ્યું નથી.
મંદિરનાં કર્મચારી જણાવે છે કે આ મગર નું બાબિયા સાથે ખાસ કનેક્શન છે. જ્યારે પણ પુજારી આ મગરને બોલાવે છે તો આ મગર પાણી માંથી બહાર આવે છે, ત્યારબાદ પુજારી તેને પોતાનાં હાથ થી ભોજન કરાવે છે.
Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..
ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.